
એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરવા પર વધુ ધ્યાન આપવામાં આવશે….
આઇપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સએ કોરોનાથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે 7.5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ટીમ માલિકો અને ટીમ મેનેજમેન્ટે ભંડોળ ભેગુ કર્યું છે. રાજસ્થાન રોયલ્સ ફાઉન્ડેશન અને બ્રિટીશ એશિયન ટ્રસ્ટ સંયુક્તપણે કોરોના યુદ્ધને ટેકો આપી રહ્યા છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટ ભારત સરકાર સાથે મળીને કામ કરે છે.
રાજસ્થાન રોયલ્સ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરવા પર વધુ ધ્યાન આપવામાં આવશે. ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં કહ્યું છે કે ‘રાજસ્થાન રોયલ્સે ભારતની કોવિડ -19 વાયરસથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય આપવા રાહત માટે 7.5 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે તેની ઘોષણા કરીને ખુશી થાય છે.
ફ્રેન્ચાઇઝીએ વધુમાં જણાવ્યું છે કે ટીમના માલિકો અને ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓ સાથે મળીને ભંડોળ એકઠું કર્યું છે અને રાજસ્થાન રોયલ્સની કલ્યાણકારી સંસ્થા રોયલ રાજસ્થાન ફાઉન્ડેશન (આરઆરએફ) અને બ્રિટીશ એશિયન ટ્રસ્ટ (બીએટી) સાથે કામ કરી રહ્યું છે.
