ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ધમાકેદાર સ્ટાઈલમાં હરાવીને ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી જીતી લીધી છે. આ મેચમાં ભારતના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતે બંને T20 મેચમાં ઈંગ્લેન્ડની ટીમને ઓલઆઉટ કરી દીધી. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે જ આ શક્ય બન્યું હતું. સિરીઝ જીત્યા બાદ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ ભારત માટે મોટી ભવિષ્યવાણી કરી છે.
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે સિરીઝ જીત્યા બાદ શાહિદ આફ્રિદીએ કહ્યું કે ભારતે શાનદાર ક્રિકેટ રમી છે અને તે સિરીઝ જીતવાને હકદાર છે. ખરેખર પ્રભાવશાળી બોલિંગ પ્રદર્શન, તે ચોક્કસપણે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ માટે ફેવરિટમાંનો એક હશે. ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી. છેલ્લા T20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
India have played outstanding cricket and deserve to win the series. Really impressive bowling performance, they'll surely be one of the favourites for the T20 World Cup in Australia https://t.co/5vqgnBYfIX
— Shahid Afridi (@SAfridiOfficial) July 9, 2022
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચ 49 રને જીતી લીધી હતી. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું છે કે અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ અને યોગ્ય બોક્સ પર નિશાની કરી રહ્યા છીએ.