એશિયા કપ 2023 પહેલા, શ્રીલંકા ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી લાહિરુ થિરિમાનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે એક નિવેદન જારી કરીને તેની નિવૃત્તિ અંગે માહિતી આપી હતી. થિરિમાને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે માર્ચમાં રમી હતી.
શ્રીલંકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે 197 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા લાહિરુ કુમારાએ ગયા વર્ષે ભારત સામે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારથી તે ટીમમાં જગ્યા બનાવી શક્યો ન હતો. 33 વર્ષીય લાહિરુ 127 ODI રમી ચૂક્યો છે અને તેને ODIનો ઘણો અનુભવ છે. આગામી એશિયા કપ પણ ODI ફોર્મેટમાં રમાશે. જોકે લાહિરુએ તેની છેલ્લી વનડે 2019માં રમી હતી.
લાહિરુએ પોતાના નિવેદનમાં કહ્યું – ઘણા વર્ષોથી મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. આ રમતે મને વર્ષોથી ઘણું આપ્યું છે. પરંતુ ઘણી મિશ્ર લાગણીઓ સાથે, હું તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.
લાહિરુ થિરિમાને 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે ત્રણેય ફોર્મેટમાં શ્રીલંકન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2010માં ODI ડેબ્યૂ કર્યા પછી, તેણે 2011-12 માં અનુક્રમે ટેસ્ટ અને T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું. લાહિરુએ 44 ટેસ્ટ મેચની 85 ઇનિંગ્સમાં 2088 રન બનાવ્યા હતા.
તેણે 127 ODI રમી જેમાં તેણે 3194 રન બનાવ્યા. તેણે વનડેમાં 4 સદી અને 21 અડધી સદી ફટકારી છે. લાહિરુએ 26 ટી-20 મેચમાં 291 રન બનાવ્યા હતા, આ ફોર્મેટમાં તે અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ માર્ચ 2022માં ભારત સામે રમી હતી.
Lahiru Thirimanne retires from international cricket with an immediate effect. pic.twitter.com/jVDT1Diigg
— CricketMAN2 (@ImTanujSingh) July 22, 2023
