ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. હવે શ્રેણીની ત્રીજી મેચ પહેલા ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવની ટીમમાં પસંદગીથી દરેક જણ નાખુશ છે. સૂર્યાએ પોતાની ODI કરિયરમાં એક પણ સારી ઇનિંગ રમી નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના એક દિગ્ગજ ખેલાડીએ પણ સૂર્યાના પ્રદર્શન પર મોટું નિવેદન આપ્યું છે.
ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરનું માનવું છે કે મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ જો પોર્ટ ઓફ સ્પેનમાં મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીના નિર્ણાયક મેચમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ જાય તો તેને ODI ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરનું માનવું છે કે મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ જો પોર્ટ ઓફ સ્પેનમાં મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીના નિર્ણાયક મેચમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ જાય તો તેને ODI ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
