IPL

CSKની હાર બાદ જાડેજાએ કહ્યું- બેટિંગ તો ઠીક પણ અમેં આ કારણે પણ મેચ હાર્યા

IPL 2022ની પહેલી જ મેચમાં રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની CSKને હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. આ મેચમાં CSKની બેટીંગ કફોડી જોવા મળી હતી.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ KKR સામે 132 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 50 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સરળ ટાર્ગેટ KKR એ 18.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. મેચ પછી ઝાકળ અને ભીની પિચ વિશે વાત કરી.

મેચ પછીના પ્રેઝન્ટેશનમાં જાડેજાએ કહ્યું, “આ એડિશનમાં ઝાકળ એક મહત્વપૂર્ણ ભાગ હશે. જો તમે ટોસ જીતશો, તો તમે પહેલા બોલિંગ કરવાનો પ્રયાસ કરશો. પ્રથમ 6-7 ઓવરમાં વિકેટ થોડી ભીની હતી અને પછી બીજી ઇનિંગ્સમાં બોલ બેટ પર સારો હતો.” અમે રમતને વધુ ઊંડાણમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઝાકળને જોતા, બધાએ સારી બોલિંગ કરી. બ્રાવોએ સારી બોલિંગ કરી.”

ચેન્નાઈ તરફથી બેટિંગમાં ધોની સફળ રહ્યો હતો જ્યારે બોલિંગમાં ડ્વેન બ્રાવોએ 20 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બંને ખેલાડીઓ ટીમને જીત અપાવી શક્યા ન હતા.

આ મેચમાં ચેન્નાઈની બેટિંગ થોડી સુસ્ત જોવા મળી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો, જ્યારે કોનવે 3ના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. ત્રીજા નંબરે આવતા ઉથપ્પા ચોક્કસપણે 28 રનની ઇનિંગ રમીને ટીમને સંભાળવા માંગતો હતો, પરંતુ તે વરુણ ચક્રવર્તીના બોલ પર સ્ટમ્પ થયો હતો. જાડેજા પર કેપ્ટન્સીનું દબાણ સ્પષ્ટ દેખાતું હતું. તે અંત સુધી ધોની સાથે ક્રિઝ પર રહ્યો પરંતુ તેણે 28 બોલમાં 26 રનની અણનમ ઇનિંગ રમી. જાડેજાએ પણ ઇનિંગના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી.

 

Exit mobile version