આઈપીએલ શરૂ થયા બાદ દુનિયાભરમાં અનેક પ્રકારની ટી-20 લીગ શરૂ થઈ. હવે UAE અને દક્ષિણ આફ્રિકામાં પણ નવી T20 લીગ શરૂ થવા જઈ રહી છે. IPL ફ્રેન્ચાઇઝીએ આફ્રિકામાં યોજાનારી T20 લીગમાં પોતાની ટીમો બનાવી છે.
જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ફ્રેન્ચાઈઝીનો સમાવેશ થાય છે. આફ્રિકામાં યોજાનારી ટી-20 લીગમાં જોહાનિસબર્ગની ટીમને ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં અનુભવી ખેલાડીઓ ફાફ ડુ પ્લેસિસને રમતા જોવા મળી શકે છે. આ લીગમાં ધોની જોહાનિસબર્ગ ટીમનો મેન્ટર બની શકે છે.
જોહાનિસબર્ગના મેન્ટર બનવા માટે ધોની સામે મોટી સમસ્યા આવી ગઈ છે. બીસીસીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવું કરવા માટે ધોનીએ બીસીસીઆઈ સાથેના તમામ સંબંધો ખતમ કરવા પડશે.
આ વિશે વાત કરતાં BCCIના એક અધિકારીએ કહ્યું, “એ સ્પષ્ટ છે કે કોઈપણ ભારતીય ખેલાડી જ્યાં સુધી તમામ ફોર્મેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિ ન લઈ લે ત્યાં સુધી તે વિદેશી લીગમાં ભાગ લઈ શકે નહીં. જો તે ભાગ લેવા માંગે છે તો તેણે BCCI સાથેના તમામ સંબંધો તોડવા પડશે.”
તમને જણાવી દઈએ કે, BCCI ભારતીય ખેલાડીઓને કોઈપણ પ્રકારની કોઈ વિદેશી લીગ રમવાની પરવાનગી આપતું નથી. જો ખેલાડીઓ કોઈપણ પ્રકારની વિદેશી લીગ રમવા માંગતા હોય અથવા કોઈપણ રીતે તેનો ભાગ બનવા માંગતા હોય, તો ખેલાડીએ બીસીસીઆઈ સાથેના તેના તમામ સંબંધો સમાપ્ત કરવા પડશે.