
મહેન્દ્રસિંહ ધોનીનું ફોર્મ આ વર્ષે પણ ચર્ચાનો વિષય છે…
ચેન્નઈ સુપર કિંગ્સે આ આઇપીએલ સીઝનમાં સારી શરૂઆત કરી છે પરંતુ કેપ્ટન ધોની માટે આ સિઝન પણ ગયા વર્ષની જેમ છે. લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પાછા ફરનાર મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકે મેદાનમાં ખૂબ અસરકારક સાબિત થઈ રહ્યો છે પરંતુ તેણે હજી સુધી બેટ સાથે કંઈ ખાસ કર્યું નથી. છેલ્લી ત્રણ મેચોમાં ધોની બેટથી પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો નથી અને તેના ચાહકો ઈચ્છે છે કે ધોની ફરી એક વાર લયમાં દેખાય અને લાંબા છગ્ગા ફટકારે.
મહેન્દ્રસિંહ ધોનીનું ફોર્મ આ વર્ષે પણ ચર્ચાનો વિષય છે. જોકે છેલ્લી ત્રણ મેચમાંથી બે મેચ ચેન્નાઈની ટીમે જીતી લીધી છે, પરંતુ બેટ્સમેન તરીકે ધોનીનું બેટ મૌન છે.
તો બીજી બાજુ બ્રાયન લારાએ કહ્યું કે મને નથી લાગતું કે ટીમે ધોનીના બેટ પાસેથી વધુ અપેક્ષા રાખવી જોઈએ. અલબત્ત તે વિકેટકીપર છે, તેણે કેચ પકડવો પડશે, સ્ટમ્પિંગ કરવો પડશે, પરંતુ મને લાગે છે કે ચેન્નઈનો બેટિંગ ક્રમ ઘણો લાંબો છે, જેથી ધોની આરામ કરી શકે. અમે ઈચ્છીએ છીએ કે તે ફોર્મમાં હોય, આપણે જાણીએ છીએ કે તે કેટલો વિસ્ફોટક હોઈ શકે છે, પરંતુ તેની પાસે ઘણા મહાન ખેલાડીઓ છે. સેમ કરન જબરદસ્ત ફોર્મમાં છે, તે મેદાન પર જ પોતાનો શોટ રમે છે. તેથી ધોનીએ તેની કેપ્ટનશીપ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ચેન્નાઈ આ વખતે આઈપીએલનો ખિતાબ જીતી શકે છે.
લારાએ કહ્યું કે મને લાગે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની એક મહાન ટીમ છે. એક મહાન કેપ્ટન છે જે ખેલાડીઓની પ્રેરણા આપે છે. જો તે એ હકીકત પર ધ્યાન આપે છે કે ટીમનો દરેક ખેલાડી વધુ સારું પ્રદર્શન કરે તો ટીમ સારું પ્રદર્શન કરી શકે.
