IPL 2023ની 17મી મેચમાં બુધવારે રાત્રે રાજસ્થાન રોયલ્સે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવ્યું હતું. ચેપોક મેદાન પર 2008 પછી રાજસ્થાનની આ પ્રથમ જીત છે.
ધોનીએ આ મેચમાં CSKને જીતવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ અંતે તે નિષ્ફળ ગયો. મેચ બાદ આરઆરના કેપ્ટન સંજુ સેમસને ધોનીના વખાણ કર્યા અને કહ્યું કે તેની સામે કોઈ આંકડા કામ નથી કરતા. તમને જણાવી દઈએ કે, આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RRએ 175 રન બનાવ્યા હતા, આ સ્કોરનો પીછો કરતા ચેન્નાઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 172 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.
મેચ બાદ સંજુ સેમસને કહ્યું, ‘છેલ્લી બે ઓવર તણાવથી ભરેલી હતી. હું રમતને ઊંડાણમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યાં સુધી તે [ધોની] મધ્યમાં છે ત્યાં સુધી તમે તે (જીત) અનુભવી શકતા નથી. હું ઘણું આયોજન, સંશોધન અને ડેટા ટીમ સાથે બેસીને કરું છું. ઘણી વસ્તુઓ થાય છે. જોકે ધોની પર કશું કામ કરતું નથી.
પોતાની ટીમના વખાણ કરતા કેપ્ટને કહ્યું, તમારે ખેલાડીઓને શ્રેય આપવો પડશે. બોલરો છેલ્લી ઘડીએ પોતાનું કૂલ રાખવામાં સફળ રહ્યા અને શાનદાર બોલિંગ કરી. અમે કેટલાક શાનદાર કેચ પણ લીધા. ચેપોક મેદાન પર મારી પાસે સારી યાદો નથી અને હું અહીં ક્યારેય જીત્યો નથી, તેથી જ આજે ટીમને જીતાડવા માંગુ છું.
પોતાની યોજનાઓ વિશે વાત કરતાં તેણે આગળ કહ્યું, ‘બોલ પકડમાં હતો અને તેથી જ અમે એડમ ઝમ્પાને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લાવ્યા. પાવરપ્લે અમારા માટે ખૂબ જ સારો રહ્યો અને અમે રુતુરાજની વિકેટ પણ લેવામાં સફળ રહ્યા’.