IPL

ડેવિડ વોર્નર: મને વિશ્વાસ છે કે આ વર્ષે આઈપીએલ યોજાશે

વોર્નર પહેલાથી જ કહી ચૂક્યો છે કે ટી ​​-20 વર્લ્ડ કપ ટીમોની સંખ્યાને જોતા મુશ્કેલ કાર્ય બનશે…

કોરોનાવાયરસનો ચેપ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં રમતગમતની પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. આ જ કારણ છે કે આઈપીએલ જેવી ટુર્નામેન્ટ પણ મુલતવી રાખવામાં આવી છે. બીજી તરફ, ટી -20 વર્લ્ડ કપ હોવા છતાં શંકાના વાદળ છવાઈ રહ્યા છે.

ત્યારે, ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરને ‘સંપૂર્ણ વિશ્વાસ અને સકારાત્મક’ છે કે કોવિડ-19 રોગચાળાને કારણે જો ટી -૨૦ વર્લ્ડ કપ મોકૂફ રાખવામાં આવે તો તે અને અન્ય ઓસ્ટ્રેલિયાન ખિલાડીયો માટે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છે જ્યાં તે રમી શકશે. કારણ કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) ના પ્રમુખ અર્લ એડિંગ્સે પહેલેથી જ કહ્યું છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં 16-ટીમની ટૂર્નામેન્ટનું આયોજન થોડું ‘અવાસ્તવિક’ હશે.

જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ ટી 20 વર્લ્ડ કપના ભવિષ્ય અંગે કોઈ નિર્ણય લીધો નથી અને આગામી મહિનામાં આવું થવાની સંભાવના છે. “ઇન્ડિયા ટુડે” સાથે વાત ચિત કરતા વોર્નરે  જણાવ્યું કે, “જો વર્લ્ડ કપ યોજવાની અપેક્ષા ન હોય તો મને પૂરો વિશ્વાસ અને સકારાત્મક છે કે વર્લ્ડ કપને બદલે અમે આઈપીએલમાં રમી શકીશું.”

તેણે કહ્યું, ‘જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અમને ત્યાં જવા દેશે તો મને ખાતરી છે કે અમે ક્રિકેટ રમવા ભારત જઈશું. ડાબોડી બેટ્સમેન વોર્નર પહેલાથી જ કહી ચૂક્યો છે કે ટી ​​-20 વર્લ્ડ કપ ટીમોની સંખ્યાને જોતા મુશ્કેલ કાર્ય બનશે. તેમણે કહ્યું કે આ મામલે બધા આઈસીસીના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

વોર્નરે કહ્યું કે, મોટાભાગના ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ટી -20 વર્લ્ડ કપ અને એશિયા કપ મુલતવી રાખવામાં આવે તો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી આઇપીએલમાં રમવા માંગે છે.

Exit mobile version