IPL

આ કારણે 17 એપ્રિલે યોજાનારી KKR-રાજસ્થાનની મેચ થશે રદ? જાણો

Pic- jansatta

IPL 2024 ની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 17 એપ્રિલે ઈડન ગાર્ડન્સ ખાતે યોજાવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ મેચનું સ્થળ અથવા શેડ્યૂલ બદલવાનું વિચારી રહ્યું છે.

રામ નવમીના તહેવારને કારણે આ મેચને લઈને અનિશ્ચિતતા છે. આ તહેવાર આખા ભારતમાં ઉજવવામાં આવે છે અને સંબંધિત સત્તાવાળાઓ તે રાત્રે IPL મેચ માટે પૂરતી સુરક્ષા પૂરી પાડી શકશે કે કેમ તેની ખાતરી નથી. આ સિવાય બીજી સમસ્યા એ છે કે તે સમયે સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી હશે. આવી સ્થિતિમાં BCCI પાસે મેચ સ્થગિત કરવાનો વિકલ્પ પણ છે.

બીસીસીઆઈ અને ક્રિકેટ એસોસિએશન આ મુદ્દે કોલકાતા પોલીસના સંપર્કમાં છે. આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ BCCIએ બંને ફ્રેન્ચાઈઝી તેમજ બ્રોડકાસ્ટર્સને શેડ્યૂલમાં સંભવિત ફેરફાર અંગે જાણ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે BCCIએ બે તબક્કામાં શેડ્યૂલ તૈયાર કર્યું હતું. અગાઉ માત્ર 21 મેચોના શિડ્યુલની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની 53 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું.

KKRએ બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. હાલમાં ટીમ વિશાખાપટ્ટનમમાં છે જ્યાં તેનો મુકાબલો 3જી એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે થશે.

Exit mobile version