IPL

હેડ કોચ રિકી પોન્ટિંગ રબાડાથી પ્રભાવિત નહીં પરંતુું આ ખિલાડીઓ થી થયા પ્રભાવિત

ટીમનો ફિઝિયો પેટ્રિક ફરહર્ટ મેદાનમાં આવ્યો અને અશ્વિનને બહાર લઈ ગયો…

 

દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિકી પોન્ટિંગે કહ્યું કે ટૂંક સમયમાં ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનની ઈજા વિશે તે જાણ કરી લેશે. અશ્વિને રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ દરમિયાન તેની પ્રથમ ઓવરમાં 2 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, ઓવરના છેલ્લા બોલ પર તેણે એક રન બચાવવા માટે ડાઇવ કરી દીધી હતી. આનાથી તેના ખભામાં ઇજા પહોંચી છે. ટીમનો ફિઝિયો પેટ્રિક ફરહર્ટ મેદાનમાં આવ્યો અને અશ્વિનને બહાર લઈ ગયો.

પોન્ટિંગે ટ્વિટર પર લખ્યું- સવારથી ગુંજન ચાલુ છે! અમારા પદાર્પણ પછી અમે જે રીતે લડ્યા તેનાથી પહેલેથી જ રોમાંચિત. માર્કસ સ્ટોઇનિસ બેટ અને બોલ બંને તરફથી પછી કાગિસો રબાડા ગુણવત્તાવાળો સુપર ઓવર લઈને આવ્યો હતો. રવિચંદ્રનને અશ્વિનની ઈજા વિશે વધુ માહિતી મળશે. આશા છે કે તે ઠીક છે. સુપર કિંગ્સ સામે રમતા જોવા મળશે.

મેચમાં માર્કસ સ્ટોઇનિસે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને માત્ર 21 બોલમાં 53 રન બનાવ્યા હતા. બંને ટીમોએ નિર્ધારિત 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા. અગ્રવાલ 60 બોલમાં 89 રન બનાવીને આઉટ થયો હતો. જણાવી દઈએ કે દિલ્હી કેપિટલની આગામી મેચ 25 સપ્ટેમ્બરના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે.

Exit mobile version