IPL

આઈપીએલ 2021: ચેન્નઈ સુપર કિંગ્સ સાથે કરાર સમાપ્ત થતાં આ ખિલાડી થયો બહાર

હરભજનસિંહે ટ્વિટ કરીને ચાહકો અને સીએસકે ટીમ મેનેજમેન્ટનો આભાર માન્યો…

આઇપીએલ 2021ની આગામી સીઝનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ સ્પિનર ​​હરભજનસિંહે પુષ્ટિ આપી છે કે તે આગામી સીઝનમાં એટલે કે આઈપીએલ 2021 માં ટીમનો ભાગ નહીં લે.

હરભજનસિંહે ટ્વિટ કરીને ચાહકો અને સીએસકે ટીમ મેનેજમેન્ટનો આભાર માન્યો અને કહ્યું કે ટીમ સાથે તેની સફળતા ઘણી સારી હતી. ખરેખર, ભજ્જી અને સીએસકે વચ્ચે ત્રણ વર્ષનો કરાર 2020 માં સમાપ્ત થયો. ભજ્જીને સીએસકે દ્વારા 2018 માં બે કરોડમાં ખરીદવામાં આવ્યો હતો અને તેનો કરાર ત્રણ વર્ષ માટે હતો. જો કે, ગત સિઝનમાં તેણે અંગત કારણોસર યુએઈમાં રમવાનો ઇનકાર કર્યો હતો.

આઈપીએલ 2019 માં ટીમને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરવામાં ભજ્જીની મોટી ભૂમિકા હતી અને 11 મેચમાં 16 વિકેટ પણ લીધી હતી. જો કે, આ સીઝનમાં મુંબઇએ ફાઈનલમાં સીએસકેને એક રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.

Exit mobile version