ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી. ટીમ સતત 8 મેચ હારી અને ટુર્નામેન્ટમાં પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયેલી પ્રથમ ટીમ બની.
હવે ટીમ પોતાનું સન્માન બચાવવા પોતાની છેલ્લી બે મેચ રમવા જશે. આ મેચ ટીમ માટે ખાસ બની શકે છે કારણ કે તેમાં એક ફેરફારની અપેક્ષા છે, જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.
ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ મુંબઈ આ સિઝનમાં માત્ર 3 મેચ જીતી શકી છે. ટીમ ભલે હાર સાથે શરૂઆત કરી હોય પરંતુ તેનો અંત જીત સાથે કરવા માંગે છે. છેલ્લી મેચમાં ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જીત મેળવીને તેની પ્લેઓફની આશા ખતમ કરી નાખી હતી. ટીમની આગામી મેચ હૈદરાબાદ સાથે છે અને ત્યારબાદ તે દિલ્હીની ટીમ સામે રમશે. આ મેચોમાં પણ પ્લેઓફની વાત એવી જ છે. બંને ટીમોને મુંબઈ સામે જીતની જરૂર છે જેથી તેઓ પોતાની આશા જીવંત રાખી શકે.
ટુર્નામેન્ટમાં સતત 8 હાર બાદ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી ત્યારે પ્લેઈંગ ઈલેવનમાં અર્જુનના સમાવેશની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. હવે ટીમ તેમની છેલ્લી બે મેચમાં તેમને તક આપી શકે છે. અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર છે અને ટીમ મેનેજમેન્ટ તેને જસપ્રીત બુમરાહની જગ્યાએ તક આપી શકે છે. સુકાની અને કોચ તેમના ચેમ્પિયન બોલરને આરામ આપવા માંગે છે અને તે યુવા ખેલાડીને અજમાવવા માટે પણ આતુર છે. આવી સ્થિતિમાં તેને હૈદરાબાદ અથવા દિલ્હી સામે ડેબ્યૂની તક મળી શકે છે.