IPL

IPL 2022: હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત, જાણો તે ટૂર્નામેન્ટમાં આગળ રમશે કે નહીં

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ટીમની કમાન સ્પિનર ​​રાશિદ ખાન સંભાળશે. હાર્દીક પંડ્યા ગ્રોઈનમાં ઈજાના કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ દરમિયાન રાશિદ ખાને કહ્યું હતું કે તે આ મેચમાં આરામ કરશે અને આગામી મેચમાં તેની વાપસી થવાની આશા છે. રશીદે કહ્યું, “હાર્દિકને ગ્રોઈન એરિયામાં થોડી જડતા હતી, તેથી એક ટીમ તરીકે અમે કોઈ જોખમ લેવા માંગતા ન હતા. તે આરામ કરશે અને આશા છે કે આગામી મેચમાં પરત ફરશે. અતિ ઉત્સાહિત, આ એક પ્રકારનું સ્વપ્ન છે. તેથી હું મારાથી બને તેટલું શીખવા માંગુ છું અને મારું 100 ટકા આપવા માંગુ છું.”

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2022માં શાનદાર ફોર્મમાં છે. જોકે, તે હજુ પણ તેની ઈજાથી પરેશાન છે. પરંતુ મેચ દરમિયાન તેણે બેટિંગ અને બોલિંગમાં કોઈ કસર છોડી ન હતી, જેના પરિણામે ટીમ ટેબલમાં ટોપ પર છે. પંડ્યા આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ત્રીજા સ્થાને છે. તેણે પાંચ મેચમાં 228 રન બનાવ્યા છે. આ સાથે જ બોલિંગમાં તેણે 5 મેચમાં 4 વિકેટ ઝડપી છે.

Exit mobile version