IPL

યુએઈ કે શ્રીલંકામાં નહીં પરતું IPL 2022નું આયોજન આ દેશમાં થઈ શકે છે

બીસીસીઆઈની બહુચર્ચિત ટી20 ટુર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગની આ વર્ષની ઈવેન્ટ અંગે શંકા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોમને લઈને દુનિયાભરમાં આવી રહેલા સમાચારો વચ્ચે ટૂર્નામેન્ટને દેશની બહાર ખસેડવામાં આવી રહી હોવાની વાતો બહાર આવી રહી છે.

મળતી માહિતી મુજબ, આ વર્ષે BCCI ભારતની બહાર શ્રીલંકા અથવા દક્ષિણ આફ્રિકામાં આયોજન કરવા પર વિચાર કરી શકે છે.

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓમિક્રોમના ઘણા કેસો નોંધાયા છે. દેશમાં કોરોનાના કેસોમાં પણ અચાનક વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર આ અંગે પહેલાથી જ સતર્ક થઈ ગઈ છે અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં સપ્તાહના અંતમાં નાઈટ કર્ફ્યુની સાથે કડકાઈ શરૂ થઈ ગઈ છે. કેસની સંખ્યા વધવાની સ્થિતિમાં, BCCI આ IPLને ભારતની બહાર કરી શકે છે.

ગયા વર્ષે માર્ચમાં શરૂ થયા બાદ બાયો બબલમાં કોરોનાના કેસને કારણે ટૂર્નામેન્ટ મોકૂફ રાખવી પડી હતી. જે બાદમાં યુએઈમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે કરવામાં આવ્યું હતું. ICC T20 વર્લ્ડ કપની યજમાની કરી રહેલા ભારતે પણ આ દેશમાં જ કરાવ્યું. ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે અને ત્યારબાદ વનડે શ્રેણીમાં રમશે. સાઉથ આફ્રિકા બોર્ડની અહીંની વ્યવસ્થાથી ભારતીય બોર્ડ ખૂબ જ ખુશ છે અને આ જ કારણથી આઈપીએલના સ્થળમાં દક્ષિણ આફ્રિકાનું નામ સામે આવી રહ્યું છે.

જો કે, લોકસભા ચૂંટણીના કારણે વર્ષ 2009માં દક્ષિણ આફ્રિકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. BCCIના એક અધિકારીએ અંગ્રેજી અખબારને જણાવ્યું કે, “અમે હંમેશા UAE પર નિર્ભર રહી શકતા નથી, તેથી જ અમે વધુ વિકલ્પો શોધવાનું નક્કી કર્યું છે.” દક્ષિણ આફ્રિકાના સમયનો તફાવત પણ ખેલાડીઓ માટે સારો રહ્યો છે.

તેણે વધુમાં કહ્યું કે, બીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ જ્યાં રોકાઈ હતી તે જગ્યા કેટલાય એકરમાં ફેલાયેલી છે. ફરવા માટે ઘણી જગ્યા છે અને આ જગ્યાએ એક તળાવ છે અને તે ખેલાડીઓ માટે બાકીની વસ્તુઓને સરળ બનાવે છે. આ કારણોસર, અમે અગાઉના ઘણા વિદેશી પ્રવાસોમાં આ સ્થાન પર રહેવા માટે રૂમની વ્યવસ્થા કરીએ છીએ.

Exit mobile version