IPL 2023ની 30મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ધીમી ઇનિંગ રમી ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ બધાની નજરમાં આવી ગયા. કેએલ રાહુલે ટી20 મેચમાં 61 બોલમાં 68 રન બનાવ્યા હતા અને તેની ઇનિંગ્સ પણ ટીમની હારનું કારણ બની હતી.
મેચ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર વેંકટેશ પ્રસારે કેએલ રાહુલ પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન લખનૌના કેપ્ટનનું નામ લીધા વિના તેણે ઘણું ખોટું કહ્યું. જણાવી દઈએ કે, આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે લખનૌ સામે જીતવા માટે 135 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 128 રન જ બનાવી શકી હતી.
વેંકટેશ પ્રસાદે GT vs LSG મેચ બાદ ટ્વિટ કરીને લખ્યું, ‘જ્યારે 35 બોલમાં 30 રનની જરૂર હોય અને 9 વિકેટ હાથમાં હોય, ત્યારે રનનો પીછો કરવા માટે કેટલીક વિસ્ફોટક બેટિંગની જરૂર હોય છે. 2020માં, પંજાબ સાથે કેટલાક પ્રસંગોએ એવું બન્યું કે તેઓ સરળતાથી જીતેલી મેચ હારી ગયા. ગુજરાત બોલમાં શાનદાર હતું અને હાર્દિક તેની કેપ્ટનશિપમાં પણ તેટલો જ સ્માર્ટ હતો. લખનૌએ મૂર્ખતા કરી’.
આશ્ચર્યની વાત એ છે કે આ લો સ્કોરિંગ મેચમાં લખનૌએ 135 રનના ટાર્ગેટનો પીછો કરતા 15 ઓવરમાં 106 રન બનાવ્યા હતા, તેમ છતાં ટીમને 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.