જ્યારથી ચેન્નાઈ સુપર કિંગ્સએ જાહેરાત કરી છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ધોનીની જગ્યાએ રુતુરાજ ગાયકવાડ કેપ્ટન બનશે, રવિન્દ્ર જાડેજા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પૂછ્યું છે કે રવિન્દ્ર જાડેજાને CSKનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો નથી? હવે CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે જવાબ આપ્યો છે કે જાડેજાને કેપ્ટનશિપ કેમ નથી આપવામાં આવી?
CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું, ‘બે વર્ષ પહેલાં, જ્યારે એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને સુકાનીની બાગડોર સોંપી હતી, ત્યારે CSK માટે વસ્તુઓ બહુ સારી ન હતી. પરંતુ અમે આ બાબતને વધુ સારી રીતે સંભાળીશું.
સ્ટીફન ફ્લેમિંગે કહ્યું, ‘સાચું કહું તો, ફ્રેન્ચાઇઝી છેલ્લી વખતે ધોનીને પદ છોડવા માટે તૈયાર નહોતી. આ વર્ષે, અમે નવી લીડ માટે ખૂબ મહેનત કરીશું. તેણે કહ્યું કે ઋતુરાજ ગાયકવાડને આ કામ માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આ નિર્ણય ધોનીનો હતો. ધોનીએ ખૂબ વિચારણા કર્યા પછી નિર્ણય લીધો છે. ગયા વર્ષ પછી, જ્યારે અમે ટાઇટલ જીત્યું, ત્યારે તેને લાગ્યું કે કેપ્ટન પદ છોડવાનો આ શ્રેષ્ઠ સમય છે.”
In Process, We Trust! 💪🏻🔥#WhistlePodu #CSKvRCB 🦁💛 pic.twitter.com/RDdpfq5v3Q
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2024
