IPL 2023ની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 15 રનથી હરાવ્યું હતું. આ સાથે મુંબઈએ જીતની હેટ્રિક પણ નોંધાવી હતી.
તેના હવે 5 મેચમાં 6 પોઈન્ટ છે. મુંબઈના 193 રનના ટાર્ગેટના જવાબમાં હૈદરાબાદ 178 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. છેલ્લી ઓવરમાં હૈદરાબાદને જીતવા માટે 20 રનની જરૂર હતી, પરંતુ અર્જુને 5 રનમાં એક વિકેટ ઝડપીને ટીમને જીત અપાવી હતી. અર્જુને ભુવનેશ્વર કુમારની વિકેટ લીધી હતી. આ તેની આઈપીએલ કારકિર્દીની પ્રથમ વિકેટ પણ હતી. મેચ જીત્યા બાદ નિવેદન આપતી વખતે અર્જુને તેના પિતા સચિન તેંડુલકરનો પણ ઉલ્લેખ કર્યો, જેને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે.
અર્જુને કહ્યું, “મારા માટે સારું રહ્યું કે મેં પહેલી વિકેટ લીધી. મેં બસ પ્લાન પર કામ કર્યું. છેલ્લી ઓવરમાં, બાઉન્ડ્રી ન ખાવાની યોજના સરળ હતી. મને બોલિંગ ગમે છે, હું મારું સર્વશ્રેષ્ઠ આપવા માંગુ છું. હું માત્ર મારા પિતા (સચિન તેંડુલકર) સાથે ક્રિકેટ વિશે વાત કરું છું. જ્યાં સુધી સ્વિંગની વાત છે, હું ફક્ત સીમ પર ધ્યાન કેન્દ્રિત કરું છું.
મેચની વાત કરીએ તો આ પહેલા મુંબઈએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટ ગુમાવીને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદ 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. પરંતુ અર્જુને 1 બોલ બાકી રહેતા 5 રનમાં 1 વિકેટ લઈને મેચ પૂરી કરી હતી. અર્જુને 2.5 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી હતી.