IPL 2022 ની લીગ તબક્કાની મેચો હાલમાં મુંબઈ અને પુણે, મહારાષ્ટ્રમાં રમાઈ રહી છે. લીગ સ્ટેજ પછી પ્લેઓફ મેચો રમાશે અને પછી ફાઈનલ. એવું માનવામાં આવે છે કે લીગની 15મી સીઝનની પ્લેઓફ મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાશે.
સમાચાર અનુસાર, ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ કોલકાતામાં રમાશે જ્યારે ક્વોલિફાયર-2 અમદાવાદમાં યોજાશે. બોર્ડ ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
ઈનસાઇડસ્પોર્ટ્સે બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, આગામી થોડા દિવસોમાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળવા જઈ રહી છે અને તે પછી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લખનૌના નવા સ્ટેડિયમમાં પ્લેઓફ મેચનું આયોજન કરવાનો પ્રસ્તાવ છે. યુપી ક્રિકેટ એસોસિએશને BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલને લખનૌના એકાના સ્ટેડિયમમાં ક્વોલિફાયરનું આયોજન કરવા માટે ઔપચારિક વિનંતી કરી છે. જોકે, IPL ગવર્નિંગ કાઉન્સિલ આ પ્રસ્તાવને સ્વીકારે તેવી શક્યતા નથી.
વાસ્તવમાં બે વર્ષ પછી ભારતમાં આઈપીએલનું આયોજન થઈ રહ્યું છે. 15મી સીઝનની લીગ તબક્કાની મેચો હાલમાં વાનખેડે સ્ટેડિયમ, ડીવાય પાટિલ સ્ટેડિયમ અને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ વખતે દર્શકોને પણ સ્ટેડિયમમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી છે.

