આઈપીએલ 2021ની બાકીની 31 મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરની વચ્ચે યુએઈમાં રમાશે….
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું છે કે વિદેશી ખેલાડીઓની ગેરહાજરીથી આઈપીએલ 2021ની બાકીની મેચોને અસર નહીં થાય. તેમણે કહ્યું કે યુએઈમાં રમાયેલી બાકીની 31 મેચોમાં ભારતીય ખેલાડીઓ હશે અને કેટલાક વિદેશી ખેલાડીઓ હશે, અમે તેમની સાથે ટૂર્નામેન્ટ પૂર્ણ કરીશું. બીસીસીઆઈએ શનિવારે એસજીએમને કહ્યું હતું કે આઈપીએલ 2021ની બાકીની 31 મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરની વચ્ચે યુએઈમાં રમાશે.
ખલીજ ટાઇમ્સ સાથે વાત કરતા રાજીવ શુક્લાએ કહ્યું કે, ‘અમે વિદેશી ખેલાડીઓના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. અમારું મુખ્ય ધ્યાન આઈપીએલની આ સીઝન પૂર્ણ કરવા પર છે. તેને વચ્ચે છોડી શકાતી નથી. તેથી જે પણ વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ થશે તે બરાબર છે. ભારતીય ખેલાડીઓ હાજર રહેશે, વિદેશી ખેલાડીઓ હશે, પરંતુ કેટલાક વિદેશી ખેલાડીઓ નહીં આવે. જેમ મેં કહ્યું હતું કે આપણે ટુર્નામેન્ટ પૂર્ણ કરવાની છે.
તેમણે ઉમેર્યું, તો ફ્રેન્ચાઇઝી સ્પષ્ટપણે અન્ય ખેલાડીઓ તરફ જોશે. જે પણ ઉપલબ્ધ છે તેની સાથે અમે ટૂર્નામેન્ટ પૂર્ણ કરીશું. આ અમારી નીતિ છે. રાજીવ શુક્લાએ કહ્યું કે તેઓ યુએઈમાં હાજર છે અને બીસીસીઆઈના બાકીના અધિકારીઓ અહીં પહોંચશે અને ત્યારબાદ અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે વાત કરશે.

