IPL

IPLના ઈતિહાસમાં આવું કરનાર માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો રાશિદ ખાન

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ જ બેટ્સમેન એવા છે જેમણે 20મી ઓવરમાં ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કર્યો છે અને ત્રણ સિક્સર ફટકારી છે. 27 એપ્રિલ (બુધવાર)ના રોજ આ યાદીમાં રાશિદ ખાનનું નામ પણ જોડાયું છે.

રાશિદ પહેલા માત્ર મહેન્દ્ર સિંહ ધોની અને અક્ષર પટેલ જ આ કારનામું કરી શક્યા છે. ધોનીએ આ કારનામું કર્યું પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે નહીં. ધોનીએ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ તરફથી રમતા 2016માં આવું કર્યું હતું.

ગુજરાત ટાઇટન્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીતવા માટે છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી, જેમાં ચાર સિક્સર ફટકારવામાં આવી હતી, જેમાંથી ત્રણ સિક્સર રાશિદના બેટમાંથી નીકળી હતી. રાશિદે 11 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. ધોની ઉપરાંત અક્ષર પટેલે પણ દિલ્હી કેપિટલ્સ માટે આ કારનામું કર્યું છે. અક્ષરે આઈપીએલ 2020માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ કર્યું હતું.

રશીદ અને રાહુલે સાથે મળીને ગુજરાત ટાઇટન્સને શાનદાર જીત અપાવી હતી. રાશિદે છેલ્લા બોલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. 20મી ઓવરમાં સફળ ચેઝના સંદર્ભમાં તે IPLમાં બીજા નંબરનો સૌથી મોટો સ્કોર હતો. અગાઉ 2016માં, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સે પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ ઇલેવન પંજાબ) સામે છેલ્લી ઓવરમાં 23 રન બનાવીને મેચ જીતી હતી. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સની ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ટીમે આઠ મેચ રમી છે અને સાતમાં જીત મેળવી છે.

Exit mobile version