IPL

શાકિબ અલ હસન IPL 2023માંથી બહાર, કોલકાતાને મોટો ફટકો

Pic- Hindustan Times

શાકિબ અલ હસન IPL 2023માંથી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડરે ઔપચારિક રીતે કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીને સિઝન માટે તેની અનુપલબ્ધતા વિશે જાણ કરી છે. એવું માનવામાં આવે છે કે તેણે આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ અને અંગત મુદ્દાઓને કારણે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

આયર્લેન્ડ સામેની શ્રેણીને કારણે શાકિબ અલ હસન અત્યાર સુધી IPL 2023ની એક પણ મેચ રમ્યો નથી. તે 8 એપ્રિલ પછી કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાવાનો હતો. બાંગ્લાદેશને 4 એપ્રિલથી આયર્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ રમવાની છે.

બાંગ્લાદેશના ઓપનર લિટન દાસને પણ આઈપીએલ 2023ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો. આયર્લેન્ડ સામેની આ ટેસ્ટ મેચ પૂરી કર્યા બાદ તે ટીમ સાથે જોડાશે.

બાંગ્લાદેશના આ ઓલરાઉન્ડરે અત્યાર સુધીમાં IPLમાં 71 મેચમાં 793 રન બનાવ્યા છે અને 63 વિકેટ લીધી છે. શાકિબ અલ હસનને કોલકાતા નાઈટ રાઈડર્સે આ વર્ષે રૂ. 1.50ની બેઝ પ્રાઈઝમાં સામેલ કર્યો હતો.

Exit mobile version