IPL

મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવનું આ રીતે સ્વાગત થયું! દિલ્લી સામે રમશે

Pic- khel now

મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેની આગામી મેચ 7 એપ્રિલે તેમના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.

આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે સારા સમાચાર છે કે તેમના ફેવરિટ સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની ટીમમાં વાપસી થઈ છે. સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ ત્રણ મેચમાં ભાગ લઈ શક્યો ન હતો. ઈજા અને સર્જરી પછી, સૂર્યકુમાર યાદવ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં પુનર્વસન હેઠળ હતો અને મુંબઈ ઈન્ડિયન્સ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી તેના ફિટનેસ પ્રમાણપત્રની રાહ જોઈ રહી હતી. આખરે મુંબઈ ઈન્ડિયન્સ અને તેના ચાહકોની રાહ પૂરી થઈ.

મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવનું સ્વાગત કર્યું અને તેનો વીડિયો શેર કરતાં લખ્યું, ‘જેની અમે રાહ જોઈ રહ્યા હતા… સૂર્ય દાદા અહીં છે, પલટન.’ IPL 2024ની પ્રથમ ત્રણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે હજુ સુધી એક પણ મેચ જીતી નથી.

મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર રહેલા સૂર્યકુમાર યાદવની વાપસી સાથે મુંબઈ ઈન્ડિયન્સ જીતના પાટા પર પરત ફરશે કે કેમ તેનો જવાબ આવનારી મેચોમાં જ મળશે.

Exit mobile version