ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે શુભમન ગિલના વખાણ કર્યા છે. ગીલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે મજબૂત સદી ફટકારી હતી.
આ મેચમાં વિરાટ કોહલીએ પણ RCB માટે સદી ફટકારી હતી, પરંતુ તેની સદી ટીમને જીત અપાવી શકી ન હતી અને તેની ટીમને પ્લેઓફમાં પણ ન પહોંચાડી શક્યો. RCBને પ્લેઓફમાં પહોંચવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી હતી, પરંતુ શુભમન ગીલની જોરદાર સદીના આધારે ગુજરાત ટાઇટન્સે આ મેચ જીતી લીધી હતી. આરસીબીએ 20 ઓવરમાં પાંચ વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 19.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 198 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ગિલ 104 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. આ મેચ બાદ ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે ગિલના જોરદાર વખાણ કર્યા છે. અને એમ પણ કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેને કાર ગિફ્ટ કરવી જોઈએ.
હકીકતમાં, મુંબઈ ઈન્ડિયન્સ RCBની હારને કારણે જ પ્લેઓફમાં પહોંચી શક્યું હતું. જો RCB આ મેચ જીતી ગયું હોત તો મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હોત. આ જ કારણ છે કે યુવરાજ સિંહે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શુભમન ગિલને કાર ગિફ્ટ કરવી જોઈએ.