મહેન્દ્ર સિંહ ધોનીઃ એશિયા કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી ગઈકાલે 21 ઓગસ્ટ, 2023ના રોજ થઈ ગઈ છે. આ એશિયા કપ માટે ટીમની પસંદગી બાદ કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકર મીડિયાના સવાલોના જવાબ આપવા પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા. આ દરમિયાન, ટ્વિટર પર એક ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં ભારતની એશિયા કપ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની એન્ટ્રીની ચર્ચા છે.
અજીત અગરકર અને રોહિત શર્મા એશિયા કપ 2023 પછીની ટીમ સિલેક્શન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રેસના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા ટ્વિટમાં, પત્રકાર “ઈશાન કિશન અને કેએલ રાહુલનો બેકઅપ વિકેટકીપર”
આ સવાલ પર અજીત અગરકરનો જવાબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે “જો ઈશાન કિશન અને કેએલ રાહુલ એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થાય છે, તો પણ અમારી પાસે માહીભાઈનો નંબર છે.”