LATEST

અસગર અફઘાનનો દાવો: કોહલી-રોહિતને આઉટ કરો તો લાગે અડઘી ટીમ આઉટ

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અસગર અફઘાન લિજેન્ડ્સ લીગ સાથે ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. અસગર ગૌતમ ગંભીરની કેપ્ટનશીપવાળી ટીમનો ભાગ હશે. અસગર અફઘાને લિજેન્ડ્સ લીગની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમ વિશે વાત કરી હતી.

હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે જો તમે વિરાટ કોહલી અને રોહિત શર્માને આઉટ કરો છો તો એવું લાગે છે કે તમે ટીમ ઈન્ડિયાનો અડધો ભાગ ત્યાં જ ખતમ કરી દીધો છે.

અસગરને પૂછવામાં આવ્યું કે તમે રોહિત અને વિરાટ સામે ઘણું ક્રિકેટ રમ્યા છે, ટી-20 ઇન્ટરનેશનલમાં તેમના અભિગમ વિશે તમે શું કહેશો? તેના જવાબમાં અસગરે કહ્યું, ‘જ્યારે કોઈ ખેલાડી રન નથી બનાવતો ત્યારે તેના વિશે વાતો થવા લાગે છે. તે દરેક ક્રિકેટરના જીવનનો એક ભાગ છે. પરંતુ જ્યારે પણ અમે ભારત સામે ક્રિકેટ રમીએ છીએ ત્યારે અમારો પ્લાન વિરાટ કોહલી અને રોહિત શર્માની આસપાસ ફરતો હતો.

અસગરે આગળ કહ્યું, ‘અમે ત્યારે કહેતા હતા કે રોહિત અને વિરાટને આઉટ કરો, અડધી ટીમ ઈન્ડિયા ત્યાં ખતમ થઈ જાય છે. આ એવા ખેલાડીઓ છે જે એકલા હાથે મેચ જીતી શકે છે. અમે હંમેશા શરૂઆતમાં આ બંને પર હુમલો કરતા હતા. જો તમે શરૂઆતમાં આ બંનેને બહાર ન કાઢી શકો તો બંને ખૂબ જોખમી બની જાય છે. ખાસ કરીને વિરાટ કોહલી, તે મેદાન પર ખૂબ જ વ્યસ્ત છે. એકવાર તે સેટ થઈ જાય પછી તેને બહાર કાઢવો ખૂબ મુશ્કેલ બની જાય છે.

Exit mobile version