LATEST

વિલિયમસનની ઈજા પર બાબર આઝમનું ટ્વીટ થયું વાયરલ, જાણો શું લખ્યું હતું

Pic- Metro UK

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની પહેલી જ મેચમાં ન્યૂઝીલેન્ડને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા સ્ટાર કિવી બેટ્સમેન કેન વિલિયમસન આ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. વિલિયમસનને પ્રથમ મેચ બાદ ઘરે પરત ફરવું પડ્યું હતું, તેનો પગ પ્લાસ્ટરમાં જોવા મળ્યો હતો અને આ દરમિયાન તે ક્રેચની મદદથી ચાલતો જોવા મળ્યો હતો.

ત્યારે જ સમજાયું કે તેની ઈજા ઘણી ગંભીર છે. સ્કેનમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે વિલિયમસનને તેના જમણા ઘૂંટણની સર્જરી કરાવવી પડશે, આ સ્થિતિમાં તેનું આઈસીસી વર્લ્ડ કપ 2023માં રમવું પણ અશક્ય લાગે છે. બીજી તરફ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કેન વિલિયમસનના સમર્થનમાં એક ટ્વિટ કર્યું છે, જે વાયરલ થઈ રહ્યું છે.

બાબર આઝમે ટ્વિટર પર કેન સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ‘જોરદાર વાપસી કરો, કેન વિલિયમસન જલ્દી સ્વસ્થ થઈ જાઓ.’ જ્યારે ભારતના સ્ટાર બેટ્સમેન ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે બાબરે વિરાટ કોહલી માટે એક વખત ટ્વીટ પણ કર્યું હતું.

કેન વિલિયમસન ગુજરાત ટાઇટન્સ તરફથી ફિલ્ડિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. ન્યુઝીલેન્ડ ક્રિકેટે કહ્યું કે કેન આગામી ત્રણ સપ્તાહમાં તેના જમણા ઘૂંટણની સર્જરી કરાવશે.

Exit mobile version