રણજી ટ્રોફી 2022ની શરૂઆત પહેલા જ તેને મુલતવી રાખવામાં આવી છે. ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યા બાદ ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી છે. રણજી ટ્રોફી હવે 13 જાન્યુઆરીથી શરૂ થશે નહીં.
બીસીસીઆઈએ રણજી ટ્રોફી સિવાયની તમામ ડોમેસ્ટિક ટુર્નામેન્ટને તાત્કાલિક અસરથી અટકાવી દીધી છે. જોકે, બોર્ડે શેડ્યૂલ મુજબ કૂચ બિહાર અંડર-19 નોક આઉટ મેચો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2021-22 સીઝન માટે રણજી ટ્રોફી, કર્નલ સીકે નાયડુ ટ્રોફી અને સિનિયર વિમેન્સ ટી20 લીગ દેશમાં વધતા કોવિડ-19 કેસને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવી છે.
બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડ ખેલાડીઓ, સહાયક સ્ટાફ, મેચ અધિકારીઓ અને અન્ય સહભાગીઓની સુરક્ષા સાથે સમાધાન કરવા ઈચ્છતું નથી અને તેથી, ત્રણેય ટૂર્નામેન્ટને આગામી આદેશો સુધી હોલ્ડ કરવાનો નિર્ણય લીધો છે.
NEWS : BCCI postpones Ranji Trophy, Col C K Nayudu Trophy & Senior Women’s T20 League for 2021-22 season.
The ongoing Cooch Behar Trophy will continue as scheduled.
More Details ⬇️https://t.co/YRhOyk6680 pic.twitter.com/PvrlZZusSF
— BCCI (@BCCI) January 4, 2022

