LATEST

મોટા સમાચાર: પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું

પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું રવિવારે નિધન થયું. પાર્થિવે ટ્વીટ કરીને ચાહકોને આ સમાચારની જાણકારી આપી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે મારા પિતા અજયભાઈ બિપીનચંદ્ર પટેલનું 26 સપ્ટેમ્બરે નિધન થયું. તેણે ચાહકોને પ્રાર્થનામાં તેના પિતાને યાદ રાખવા કહ્યું. પાર્થિવ માટે છેલ્લા 2 વર્ષ ખૂબ જ મુશ્કેલ સમય રહ્યા છે. હકીકતમાં, 2019માં, જ્યારે પાર્થિવ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ હતો, ત્યારેથી જ તેના પિતાની તબિયત બગડવા લાગી હતી.

તે સમયે તેના પિતા બ્રેઈન હેમરેજ સાથે લડાઈ લડી રહ્યા હતા અને તેમને આઈસીયુમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે પાર્થિવ તેના પિતાના મૃત્યુના સમાચાર આપતી વખતે પણ તે ખરાબ રીતે તૂટેલો દેખાતો હતો. 

પાર્થિવ પટેલ હાલ આઇપીએલ-2 માટે કોમેન્ટરી કરતો નજરે પડે છે. આ ઉપરાંત તે આઇપીએલમાં ઘણી ટીમો રમી ચક્યો છે. 

Exit mobile version