LATEST

શું ભારતને આ ખેલાડીના રૂપમાં જાડેજાનું એક મજબૂત રિપ્લેસમેન્ટ મળ્યું

Pic- cric tamil

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાં ભારતે 3 – 1 ની અજેય લીડ હાંસલ કરી છે. હવે સિરીઝની છેલ્લી મેચ 7 માર્ચથી ધમાર્શાલામાં રમાવાની છે.

આ મેચમાં ટીમ ઈન્ડિયાના એક મજબૂત ખેલાડીને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે, જે રણજી ટ્રોફી 2024માં બોલિંગ અને બેટિંગ બંને વિભાગમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. એટલું જ નહીં કેટલાક ક્રિકેટ પંડિતો આ ખેલાડીને રવિન્દ્ર જાડેજાનું રિપ્લેસમેન્ટ પણ ગણાવી રહ્યા છે. ચાલો જાણીએ કોણ છે આ ખેલાડી?

વાસ્તવમાં, રણજી ટ્રોફી 2024ની સેમિફાઇનલ મુંબઈ અને તમિલનાડુ વચ્ચે રમાઈ હતી, જેમાં તમિલનાડુના કેપ્ટન સાઈ કિશોરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની ટીમ મેચ હારી ગઈ હોવા છતાં તેનું પ્રદર્શન વખાણવાલાયક હતું. મુંબઈએ આ મેચમાં માત્ર એક જ દાવમાં બેટિંગ કરી હતી અને કિશોરે તે દાવમાં 6 વિકેટ ઝડપી હતી. તેણે 38 ઓવર બોલિંગ કરતી વખતે 99 રન ખર્ચ્યા અને 6 સફળતા મેળવી. જો કે, આ મેચમાં સાઈ કિશોર બેટિંગમાં વધુ કમાલ બતાવી શક્યો ન હતો. તે બંને ઇનિંગ્સમાં સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આ પહેલા તેણે ક્વાર્ટર ફાઈનલમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.

સૌરાષ્ટ્ર સામે કોઈમ્બતુરમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સાઈ કિશોરે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં અદ્દભૂત પ્રદર્શન કર્યું હતું. તેણે સૌરાષ્ટ્રની પ્રથમ ઈનિંગમાં 32.1 ઓવર નાંખી અને માત્ર 66 રન આપીને 5 મહત્વની વિકેટ લીધી.

આ પછી બેટિંગમાં પણ સાઈ કિશોરનું બેટ જોરદાર ગર્જના કરતું હતું. તેણે 144 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 60 રનની શાનદાર ઈનિંગ રમીને પોતાની ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. સાંઈ કિશોર આનાથી સંતુષ્ટ ન હતો અને તેણે સૌરાષ્ટ્રની બીજી ઈનિંગમાં પણ પોતાની શાનદાર બોલિંગ બતાવી હતી. તેણે 26.4 ઓવર બોલિંગ કરતી વખતે 4 વિકેટ લીધી હતી અને તેની ટીમને સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સાંઈ કિશોર રણજી ટ્રોફી 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. તેણે 9 મેચમાં 18.52ની એવરેજથી 53 વિકેટ લીધી છે. આ સિઝનમાં તેણે કુલ 3 પાંચ વિકેટ ઝડપી છે.

Exit mobile version