LATEST

દિલીપ વેંગસરકર ગાંગુલી પર થયા ગુસ્સે, કહ્યું વિરાટે દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે

વિરાટ કોહલી પાસેથી ભારતીય ટીમની ODI કેપ્ટનશીપ છીનવી લીધા બાદ પૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરે આ મામલાની પ્રક્રિયા પર નારાજગી વ્યક્ત કરી છે.

તેમણે BCCI ચીફના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે પસંદગીકારોને બદલે સૌરવ ગાંગુલીએ આગળ આવીને આ મામલે નિવેદન આપવાની જરૂર નહોતી. દિલીપ વેંગસરકરનું માનવું છે કે પસંદગીકારોના વડાએ આ મામલે નિવેદન આપવું જોઈતું હતું.

એક અહેવાલ મુજબ દિલીપ વેંગસાકરે કહ્યું કે વાત એ છે કે સૌરવ ગાંગુલીને પસંદગી સમિતિની જગ્યાએ આગળ આવીને નિવેદન આપવાનો કોઈ અધિકાર નથી. ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ છે. ચીફ સિલેક્ટરે આગળ આવવું જોઈએ અને ટીમમાં સિલેક્શન કેપ્ટનશિપના વિવાદ પર નિવેદન આપવું જોઈએ.

દિલીપ વેંગસરકરે વધુમાં કહ્યું કે, ગાંગુલીએ સમગ્ર મામલે પોતાનો અભિપ્રાય આપ્યો. દેખીતી રીતે જ વિરાટ કોહલી પોતાની વાત સ્પષ્ટ કરવા માંગતો હતો. તેણે વધુમાં કહ્યું કે હું માનું છું કે તે કેપ્ટન અને પસંદગી સમિતિના અધ્યક્ષ વચ્ચેનો મામલો હતો. પસંદગી સમિતિ દ્વારા કેપ્ટનની પસંદગી અથવા દૂર કરવામાં આવે છે. તે ગાંગુલીના અધિકારક્ષેત્રમાં નથી.

વેંગસાકરે વધુમાં કહ્યું કે વિરાટે તેના દેશ માટે ભારતીય ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, તે વધુ સારી વિદાયનો હકદાર હતો. તેણે કહ્યું કે ભારતીય કેપ્ટનોને બિનજરૂરી રીતે હટાવવાની બોર્ડની વર્ષો જૂની પરંપરાને બદલવાની જરૂર છે.

Exit mobile version