એશિયા કપ 2025ની યજમાની પાકિસ્તાન દ્વારા કરવામાં આવશે, આ ટૂર્નામેન્ટ માટે ભારત પાકિસ્તાન જાય તેવી કોઈ શક્યતા નથી. જો કે, આ બધા વચ્ચે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, ભારત અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે.
જોકે આ વાત પર અનુભવી હરભજન સિંહે સુરક્ષા કારણોસર કહ્યું હતું કે ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ ન કરવો જોઈએ.
હરભજન સિંહના નિવેદનથી પાકિસ્તાનના ઘણા પૂર્વ ખેલાડીઓ નારાજ છે. તેમાંથી એક તનવીર અહેમદને પણ હરભજન સિંહની વાત પસંદ નથી આવી અને હવે પાકિસ્તાનનો આ પૂર્વ ખેલાડી સતત ભજ્જીને નિશાન બનાવી રહ્યો છે.
તનવીર અહેમદે હરભજન સિંહને કહ્યું છે કે, પાકિસ્તાન ભારતને સંપૂર્ણ સુરક્ષા આપશે. તનવીર અહેમદે કહ્યું, અમે સિંહ છીએ અને તમારા દેશમાં રમવા આવ્યા છીએ. આવો અને બતાવો, અમે તમને પહેલેથી જ કહી રહ્યા છીએ કે અહીં આવો અને રમો. અમે તમને સુરક્ષા સહિત બધું જ આપીશું, બસ એકવાર આવજો.”
પાકિસ્તાન ભારતને Z Plus સુરક્ષા આપવા તૈયાર છે. જોકે, BCCIએ કહ્યું છે કે ભારતીય ટીમ સરકારની પરવાનગી વિના પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે નહીં, સરહદ પર તણાવને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધો ખરાબ છે. ભારતે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. બંને ટીમો વચ્ચેના સંબંધો સારા નથી. બંને ટીમો વચ્ચે લાંબા સમયથી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી.
Former Pakistani cricketer Tanvir Ahmed responded to Harbhajan Singh by saying:
Pak players are like lions, they played in India and return home. This is called a brave and fearless team. come to Pakistan will provide you security.#harbhajansingh pic.twitter.com/YglkffMz5j
— Qadir Khawaja (@iamqadirkhawaja) July 28, 2024