
ICC ટી-20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઈ ગયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે આગામી શ્રેણીની તૈયારી કરી રહી છે. બુધવારે ન્યુઝીલેન્ડ સામે રમાનાર ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
આ ટીમમાં પસંદગીકારોએ એવા ખેલાડીઓની પસંદગી કરી હતી જેમણે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ શ્રેણીની સાથે જ ભારત A ટીમની દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પણ પસંદગી કરવામાં આવી હતી. અનુભવી સ્પિનર હરભજન સિંહે પ્રવાસની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે.
ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સાથે ટી-20 અને ટેસ્ટ શ્રેણી રમવાની છે, ત્યારબાદ ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પહેલા ભારત A ટીમ દક્ષિણ માટે રવાના થશે. હરભજને આ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયા A ટીમ પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે ટીમ સિલેક્શનનો સ્કેલ યોગ્ય નથી. ટ્વીટર પર ભજ્જીએ શેલ્ડન જેક્સનને પસંદ ન થવા બદલ સવાલ કર્યો હતો.
ભજ્જીએ રણજી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેના પ્રદર્શનને જજ કરીને પસંદ ન કરવા બદલ જવાબ માંગ્યો હતો. ભજ્જીએ લખ્યું કે, 2018/19ની રણજી સિઝનમાં 854 રન અને 2019/2020માં 809 રન તેમજ ટીમ તે વર્ષે રણજી વિજેતા બની હતી અને તાજેતરની સિઝનના પ્રદર્શન બાદ પણ તેને ભારત A ટીમમાં સામેલ કરવામાં આવી ન હતી. શું પસંદગીકારો મને કહી શકે છે કે રન બનાવવા સિવાય તેણે ભારત માટે રમવા માટે બીજું શું કરવું પડશે?
Ranji season 2018/19 scored 854 and 2019/2020 scored 809 and also Ranji champion that year plus this year current form👇yet not getting picked even for India A team.can 🇮🇳selector tell him what else he need to do to ply for india apart from scoring runs #shame @ShelJackson27 pic.twitter.com/HcwQDwhGsZ
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 9, 2021
ભારત A ટીમ નીચે મુજબ:
પ્રિયંક પંચાલ (કેપ્ટન), પૃથ્વી શૉ, અભિમન્યુ ઇશ્વરન, દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન, બાબા અપરાજિત, ઉપેન્દ્ર યાદવ (ડબલ્યુકે), કે ગૌતમ, રાહુલ ચહર, સૌરભ કુમાર, નવદીપ સૈની, ઉમરાન મલિક, ઇશાન પોરેલ અને અર્જન નાગાસવાલા.
