
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ICC ટી-20 વર્લ્ડ કપ સમાપ્ત થતાં ની સાથે પદ પરથી રાજીનામું આપશે. આ ટૂર્નામેન્ટ બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થશે.
તેમને હંમેશા એ વાતનો અફસોસ રહેશે કે ટીમ ઈન્ડિયાએ તેમના કાર્યકાળ દરમિયાન એક પણ ICC ટૂર્નામેન્ટ જીતી નથી. છેલ્લી ટુર્નામેન્ટ એટલે કે ટી-20 વર્લ્ડ કપ જેનું આયોજન BCCI દ્વારા કરવામાં આવ્યું હતું, ટીમ પહેલા રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયામાં દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બે વખત ટેસ્ટમાં હરાવ્યું હોવા છતાં, તે એક પણ બહુરાષ્ટ્રીય ICC ટુર્નામેન્ટ જીતી શકી નથી. ટીમના કોચ તરીકે કોહલીની સાથે શાસ્ત્રીએ ઘણા એવા નિર્ણયો લીધા હતા જેના માટે તેમની ટીકા થઈ હતી. નિર્ણાયક મેચોમાં પ્લેઇંગ ઇલેવનને લગતા તેમના આઘાતજનક રીતે મનસ્વી નિર્ણયો માટે આ જોડી હંમેશા યાદ રાખવામાં આવશે.
ટેસ્ટ મેચની વાત કરીએ તો, ભારતીય ટીમે શાસ્ત્રીના કોચિંગ હેઠળ કુલ 43 ટેસ્ટ મેચ રમી, જેમાં 25માં જીત અને 13માં હાર થઈ. 5 મેચ અનિર્ણિત હતી જેનો અર્થ ડ્રો થયો હતો. ODIની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ 79 મેચ રમી જેમાં 53માં જીત અને 23માં હાર થઈ. બે મેચ ટાઈ રહી હતી અને એક અનિર્ણિત રહી હતી. ટી-20ની વાત કરીએ તો ICC વર્લ્ડ કપની છેલ્લી મેચમાં જીત સાથે 68 મેચ રમી, ભારતે 44 જીત્યા અને 20માં હાર મેળવી. બે મેચ ટાઈ રહી હતી અને બે અનિર્ણિત રહી હતી.
રવિ શાસ્ત્રીએ કુલ 183 મેચોમાં ટીમ ઈન્ડિયાના કોચિંગની જવાબદારી સંભાળી હતી, જેમાંથી ભારતે 118માં જીત મેળવી હતી અને 53માં ટીમ હારી હતી. જ્યારે 5 ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી, કુલ 4 મેચ ટાઈ થઈ હતી અને 3નું કોઈ પરિણામ આવ્યું ન હતું.
