LATEST

શું BCCIની સરખામણીમાં PCB નબળું છે? આફ્રિદીએ આપ્યો આ મોટો જવાબ

હાલ એશિયા કપને લઈને ભારત અને પાકિસ્તાનના બોર્ડ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. પીસીબી ખુશ નથી કારણ કે ભારતે કહ્યું છે કે તેઓ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે બીસીસીઆઈએ તેમની સાથે વાત કરી નથી અને પોતે જ નિર્ણય લીધો છે. બીજી તરફ, જ્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને પૂછવામાં આવ્યું કે શું PCB BCCI કરતા નબળું છે તો તેણે આ અંગે મહત્વનો જવાબ આપ્યો.

હકીકતમાં, આ વર્ષે એશિયા કપની યજમાની પાકિસ્તાને કરી હતી, પરંતુ BCCIએ ત્યાં પોતાની ટીમ મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ભારતીય બોર્ડના આ નિર્ણયથી પાકિસ્તાન બોર્ડ બિલકુલ ખુશ નથી અને એવા અહેવાલો પણ આવ્યા હતા કે પાકિસ્તાન ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરી શકે છે.

પાકિસ્તાનના દિગ્ગજ બોલર શાહિદ આફ્રિદીએ આ મામલે મોટી પ્રતિક્રિયા આપી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું પીસીબી બીસીસીઆઈ કરતા નબળી પડી રહી છે, તો તેણે કહ્યું, હું એમ નહીં કહું કે પીસીબી નબળું છે પરંતુ જો પાકિસ્તાન બોર્ડ વાતચીત માટે કોઈ પગલું આગળ લઈ રહ્યું છે તો સામેથી પણ જવાબ આવવો જોઈએ. તેમાં કોઈ શંકા નથી કે ભારતીય બોર્ડ ખૂબ જ મજબૂત છે. એ તો બધા જાણે છે કે તેઓ ખૂબ જ શક્તિશાળી હોય છે, પરંતુ જ્યારે તમે વધુ શક્તિશાળી હોવ તો જવાબદારીઓ પણ વધી જાય છે. તમે વધુ દુશ્મનો ન બનાવવા અને વધુ મિત્રો બનાવવાનો પ્રયાસ કરો.જો તમે વધુ મિત્રો બનાવો છો, તો તમે મજબૂત બનશો. પાકિસ્તાન બોર્ડે હંમેશા વાતચીતની પહેલ કરી છે પરંતુ ભારતીય બોર્ડ પોતે વાત કરવા માંગતુ નથી.

Exit mobile version