બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં પાકિસ્તાન પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ટીમ અત્યારે રાવલપિંડીમાં પોતાની પ્રથમ મેચ રમી રહી છે. આ મેચની વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
વાસ્તવમાં ટીમનો અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન મોટી મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. શાકિબ અલ હસન વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ આરોપ બાદ શાકિબ ભારત પ્રવાસ પર ટેસ્ટ સિરીઝમાંથી બહાર હોવાની વાતો શરૂ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાકિબ અલ હસન પર બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કપડાની દુકાનમાં કામ કરતા વ્યક્તિની હત્યાનો આરોપ છે. આ હત્યા કેસમાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને સાકિબ અલ હસન સહિત 500 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, શાકિબ વિરુદ્ધ આ કેસ ઢાકામાં રફીકુલ ઈસ્લામ નામના વ્યક્તિએ નોંધાવ્યો છે. રફીકુલ ઢાકામાં આંદોલન દરમિયાન માર્યા ગયેલા વ્યક્તિના પિતા છે. શાકિબે તાજેતરમાં જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટીના સાંસદ હતા. શાકિબ પણ શેખ હસીનાના ખૂબ નજીકના માનવામાં આવતા હતા. તેની સામે કેસ નોંધવાનું પણ આ એક મોટું કારણ માનવામાં આવે છે.
શાકિબ અલ હસન બાંગ્લાદેશના ખુલનામાં રહે છે. તેનું ઘર બાંગ્લાદેશના આ વિસ્તારમાં છે. જોકે તેની પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. તેથી એવું માનવામાં આવે છે કે શાકિબ પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝની સમાપ્તિ બાદ સીધો અમેરિકા જવા રવાના થઈ શકે છે.
#BreakingNews All-Rounder #ShakibAlHasan Hasan Named In Murder Case Alongside Former PM #SheikhHasina#ShakibAlHasan 'Alleged' Murder Case: Legendary Bangladesh all-rounder Shakib Al Hasan has landed in huge trouble trouble, after being named in a murder case in his home… pic.twitter.com/l4IkG4bPa8
— Deepak singh (@Deepaks16615035) August 23, 2024