
18 વર્ષ રમ્યા બાદ કુંબલેએ નવેમ્બર 2008 માં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી…
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ કહ્યું છે કે ભારતના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલે સામે સ્કોર કરવો સહેલું ન હતું. સંગાકારાએ કહ્યું કે કુંબલેને કારણે તે ઘણી રાતો સૂઈ શક્યો ન હતો. આ માહિતી સંગાકારાએ ટ્વિટ દ્વારા જણાવ્યું હતું.
તેણે કહ્યું, “ઝડપી અને સીધી બોલિંગ દ્વારા રન બનાવવું સરળ નથી. જો બોલ ઝડપી હોય તો બેટ્સમેનને રન મેળવવામાં મુશ્કેલી પડે છે. કુંબલે એક સારી વ્યક્તિ અને ચેમ્પિયન છે.”
અનિલ કુંબલેની કારકિર્દી પર નજર કરીએ તો, 1990થી તેણે ભારત માટે 132 ટેસ્ટ અને 271 વનડે મેચ રમી હતી. કુંબલેને 2005માં પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 18 વર્ષ રમ્યા બાદ કુંબલેએ નવેમ્બર 2008 માં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી.
“If you were a batsman facing Anil Kumble, you knew that he had a plan for you.”
One of India’s finest on #ICCHallOfFame
pic.twitter.com/55Et7OWpdV
— ICC (@ICC) May 20, 2021
