LATEST

IPL 2023માં ઈજાગ્રસ્ત ખેલાડીઓની જોઈને અઝહરુદ્દીને આપી ખાસ સલાહ!

Pic- Hindustan Times

IPL 2023માં ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી દિવસેને દિવસે વધી રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ઘણા ખેલાડીઓએ ઈજાના કારણે પોતાના નામ પાછા ખેંચી લીધા હતા, જ્યારે ટૂર્નામેન્ટ દરમિયાન પણ ઘણા ખેલાડીઓ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા.

આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અહઝરુદ્દીને ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે તેણે ભારતીય ખેલાડીઓને વર્કલોડ મેનેજ કરવાની સલાહ પણ આપી છે. વાસ્તવમાં આ વર્ષે ODI વર્લ્ડ કપ રમાવાનો છે અને આ મોટી ટૂર્નામેન્ટ પહેલા કોઈપણ ભારતીય ખેલાડીની ઈજા ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

મોહમ્મદ અઝહરુદ્દીને ટ્વીટ કર્યું, ‘આ IPLમાં આટલા બધા ખેલાડીઓને ઈજાગ્રસ્ત થતા જોઈને આશ્ચર્ય થયું. મને આશા છે કે ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ 2023 વર્લ્ડ કપ પહેલા તેમના વર્કલોડનું ધ્યાન રાખશે.

ઈજાગ્રસ્ત ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો, જસપ્રિત બુમરાહ અને શ્રેયસ ઐય્યર એવા બે મુખ્ય નામ છે જેઓ ઈજાના કારણે હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યા છે. બુમરાહે પીઠની સર્જરી કરાવી છે અને તે સાજો થઈ રહ્યો છે. આ કારણે તેણે IPLની 16મી સિઝનમાં પણ ભાગ લીધો નથી. આ સર્જરીના કારણે બુમરાહ લાંબા સમય સુધી બહાર રહેશે અને આઈપીએલ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને એશિયા કપમાં ભાગ લઈ શકે છે. જો બધુ બરાબર રહ્યું તો બુમરાહ 2023 વર્લ્ડ કપ પહેલા પુનરાગમન કરશે.

આ સિવાય શ્રેયસ અય્યર પણ પોતાની ઈજાથી ઘણો નારાજ છે અને તેણે પણ સર્જરી કરાવવાનો નિર્ણય લીધો છે. પીઠની આ સર્જરીના કારણે અય્યર પણ લાંબા સમય સુધી ટીમની બહાર રહેશે. ચાહકોને આશા હશે કે તે 2023 વર્લ્ડ કપ પહેલા પુનરાગમન કરી શકે છે.

Exit mobile version