પાકિસ્તાનનો પ્રવાસ પૂરો કરીને ન્યુઝીલેન્ડની ટીમ રાતોરાત ભારત પહોંચી ગઈ હતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ શુક્રવારે 13 જાન્યુઆરીએ રમાઈ હતી.
આ મેચ જીત્યા બાદ તરત જ ન્યુઝીલેન્ડની ટીમ ભારત માટે ઉડાન ભરી હતી. ખેલાડીઓએ એક દિવસનો પણ આરામ ન કર્યો અને આખી ટીમ કરાચીથી સીધી હૈદરાબાદ પહોંચી. ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 18 જાન્યુઆરીથી શરૂ થવાનો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ ઉપરાંત એટલી જ મેચોની ટી20 સીરીઝ પણ રમાવાની છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટીમની કરાચીથી હૈદરાબાદની સફર પોસ્ટ કરી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે 10:30 વાગ્યે ન્યૂઝીલેન્ડે નિર્ણાયક વનડેમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું હતું. આ પછી 10:55 વાગ્યે ટીમે આ જીતની ઉજવણી કરી. ટીમ 12:10 વાગ્યે નેશનલ સ્ટેડિયમથી નીકળી અને 12:25 વાગ્યે એરપોર્ટ પહોંચી.
ન્યુઝીલેન્ડની ટીમ 14 જાન્યુઆરીના વહેલી સવારે 5:45 વાગ્યે હૈદરાબાદ પહોંચી અને 6:55 વાગ્યે બસે તેમને હોટલમાં ઉતારી. ન્યૂઝીલેન્ડની ટીમ મેચ પૂરી થયા બાદ 8:30 કલાકમાં કરાચીથી હૈદરાબાદની હોટલ પહોંચી હતી.
View this post on Instagram