LATEST

રવિ શાસ્ત્રી: હાર્દિક પંડ્યા બસ આટલું કરે તો તેનું નસીબ ખૂલી જશે

Pic- Hindustan Times

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. હાલમાં જ હાર્દિક ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બનવાની રેસમાં હતો પરંતુ ફિટનેસની સમસ્યાને કારણે સૂર્યકુમાર યાદવને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો.

દરમિયાન, ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે તે મહત્વનું છે કે ભારતનો ટોચનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રમવાનું ચાલુ રાખે અને તેની ફિટનેસ જાળવી રાખે, પછી ભલે તે કેપ્ટન હોય કે ન હોય. હાર્દિક ગયા મહિને T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો વાઇસ કેપ્ટન હતો.

ICC રિવ્યુમાં બોલતા, ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસ પર ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ ઓલરાઉન્ડરને સલાહ પણ આપી હતી કે તે કેવી રીતે બાઉન્સ બેક કરી શકે છે અને આગામી વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ODI ટીમમાં જગ્યા બનાવી શકે છે.

સંજના ગણેશન સાથે વાત કરતાં શાસ્ત્રીએ કહ્યું, “મને લાગે છે કે તે રમવાનું ચાલુ રાખે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે મેચ ફિટનેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેણે બને તેટલું T20 ક્રિકેટ રમવું જોઈએ અને જો તે પોતે મજબૂત અને ફિટ લાગે તો, તો દેખીતી રીતે જ તેને વનડે મેચ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવશે.

તેણે આગળ કહ્યું, “પણ બોલિંગ જરૂરી બની જાય છે. ODIમાં, જો કોઈ 10ની જગ્યાએ ત્રણ ઓવર નાખે છે, તો તે ટીમનું સંતુલન હચમચાવે છે. જો તમે દરેક મેચમાં સતત આઠથી 10 ઓવર ફેંકી શકો અને પછી તે જે રીતે બેટિંગ કરે છે તે રીતે બેટિંગ કરી શકો, તો મને લાગે છે કે તે ODI ક્રિકેટમાં પણ રમશે.”

Exit mobile version