ટીમ ઈન્ડિયા હાલમાં શ્રીલંકા પ્રવાસ પર છે, જ્યાં ટીમ ઈન્ડિયાને 3 વનડે અને 3 ટી-20 મેચોની શ્રેણી રમવાની છે. ભારતીય ટીમના આ પ્રવાસમાં 27 જુલાઈએ 3 T20 મેચોની શ્રેણી રમવાની છે, જે દરમિયાન શ્રીલંકન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સનથ જયસૂર્યાએ ભારતીય ટીમના બે મોટા ખેલાડીઓને ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓ ગણાવ્યા છે.
શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ સનથ જયસૂર્યાએ ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી શરૂ થઈ રહેલી T20 શ્રેણી (IND vs SL) પહેલા ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે.
સનથે કહ્યું, રોહિત શર્મા અને વિરાટ કોહલીને વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડી છે, આ સાથે તેણે રવિન્દ્ર જાડેજાને પણ શ્રેષ્ઠ ગણાવ્યા છે. ભારતીય ટીમના ત્રણેય દિગ્ગજ ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. વિરાટ અને રોહિત શ્રીલંકા સામેની ટી20 સીરીઝમાં રમતા જોવા મળશે પરંતુ બંને વનડે સીરીઝમાં રમશે.
ટીમ ઈન્ડિયાના બંને મજબૂત ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ હવે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.