LATEST

શાહીનને કેપ્ટનપદેથી હટાવવાની અટકળો પર શાહિદ આફ્રિદી થયો ગુસ્સે

Pic- Geo TV

પાકિસ્તાન ક્રિકેટ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. ક્યારેક કોચ વિશે તો ક્યારેક પ્રેસિડેન્ટ વિશે, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ પોતાના કેપ્ટનને લઈને ચર્ચામાં છે. વાસ્તવમાં, કેટલાક અહેવાલો અનુસાર, બાબર આઝમ ફરી એકવાર કેપ્ટન બની શકે છે.

પીસીબીએ શાહીન આફ્રિદી અને શાન મસૂદ પરથી વિશ્વાસ ગુમાવ્યો છે. હવે આ મામલે પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પોતાના જમાઈ શાહીન શાહ આફ્રિદીના બચાવમાં આગળ આવ્યો છે.

વાસ્તવમાં, શાહિદ આફ્રિદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આપણા ક્રિકેટની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ચહેરા બદલાય છે, ત્યારે આપણી સિસ્ટમ બદલાય છે. જે પણ અંદર આવે છે તે વિચારે છે કે તે જે કરી રહ્યો છે તે પાકિસ્તાન ક્રિકેટ માટે શ્રેષ્ઠ છે.

આફ્રિદીએ વધુમાં કહ્યું કે, જો તમે કેપ્ટન બદલો છો તો કાં તો તેને નિયુક્ત કરવાનો નિર્ણય ખોટો હતો અથવા તેને હટાવવાનો નિર્ણય ખોટો છે. ગયા વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ પછી, શાહીન શાહ આફ્રિદીને T20 ટીમનો કેપ્ટન બનાવવા પાછળ સસરા શાહિદ આફ્રિદીનો સૌથી મોટો હાથ હતો. ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમને સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો હતો. આ પછી તેણે ટેસ્ટ ટીમની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી. પાકિસ્તાનની ટીમ લીગ સ્ટેજથી આગળ વધી શકી નથી.

શાહિદ આફ્રિદીએ પણ વિદેશી કોચની નિમણૂકનું સમર્થન કર્યું હતું. પરંતુ કહ્યું કે તે એન્ડી ફ્લાવર જેવી હાઈપ્રોફાઈલ વ્યક્તિ હોવી જોઈએ. જેનો ટ્રેક રેકોર્ડ શાનદાર છે.

Exit mobile version