ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ બાળકોના જીવન કૌશલ્યને સુધારવા માટે રમતગમતને દેશમાં શાળા શિક્ષણનો અભિન્ન ભાગ બનાવવાની હાકલ કરી છે.
ગાંગુલીએ 20 નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસ પહેલા એક વીડિયો સંદેશમાં દરેક બાળકના શિક્ષણના અધિકારની પણ હિમાયત કરી હતી.
યુનિસેફ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા સંદેશમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું- બાળકો વતી હું વિનંતી કરું છું કે તમામ બાળકોને રમવાની તક મળવી જોઈએ અને રમતગમત તેમના શાળા શિક્ષણનો અભિન્ન ભાગ હોવો જોઈએ. રમતગમતમાં બાળકોની સહભાગિતા તેમના ભણતર અને જીવન કૌશલ્યોને સુધારી શકે છે.
દાદાએ કહ્યું- દરેક બાળકને તેના લિંગ, વર્ગ, જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના સારું શિક્ષણ મેળવવાનો અધિકાર હોવો જોઈએ.
Children's participation in sports can improve their learning and life skills.@SGanguly99 shares a message on #WorldChildrensDay. pic.twitter.com/cZ3m4ZW4mL
— UNICEF India (@UNICEFIndia) November 18, 2022