LATEST

સુપ્રીમ કોર્ટે ધોનીને આપ્યો ઝાટકો, 150 કરોડના ટ્રાન્ઝેક્શન કેસમાં નોટિસ મોકલી

સુપ્રીમ કોર્ટે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારી છે. આમ્રપાલી ગ્રૂપ સાથે 150 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનના સંબંધમાં તેને આ નોટિસ આપવામાં આવી છે.

વાસ્તવમાં આમ્રપાલી ગ્રુપના ફ્લેટની ડિલિવરી અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન ધોની સાથે જોડાયેલો મામલો પણ સામે આવ્યો હતો.

વાસ્તવમાં ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી 150 કરોડ રૂપિયા લેવાના છે. બીજી તરફ ગ્રુપના ગ્રાહકોને તેમના ફ્લેટ મળી રહ્યા નથી. આ અંગે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આવી સ્થિતિમાં કોર્ટે આમ્રપાલી ગ્રુપ અને ધોનીને નોટિસ ફટકારી છે. આટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રૂપ સામે દિલ્હી હાઈકોર્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આર્બિટ્રેશન કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે. ધોનીની અરજી પર દિલ્હી હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Exit mobile version