સુપ્રીમ કોર્ટે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારી છે. આમ્રપાલી ગ્રૂપ સાથે 150 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનના સંબંધમાં તેને આ નોટિસ આપવામાં આવી છે.
વાસ્તવમાં આમ્રપાલી ગ્રુપના ફ્લેટની ડિલિવરી અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન ધોની સાથે જોડાયેલો મામલો પણ સામે આવ્યો હતો.
વાસ્તવમાં ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી 150 કરોડ રૂપિયા લેવાના છે. બીજી તરફ ગ્રુપના ગ્રાહકોને તેમના ફ્લેટ મળી રહ્યા નથી. આ અંગે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આવી સ્થિતિમાં કોર્ટે આમ્રપાલી ગ્રુપ અને ધોનીને નોટિસ ફટકારી છે. આટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રૂપ સામે દિલ્હી હાઈકોર્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આર્બિટ્રેશન કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે. ધોનીની અરજી પર દિલ્હી હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.