સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ વડા લલિત મોદીને ઠપકો આપ્યો હતો. સોશિયલ મીડિયા પર લલિત મોદીની ન્યાયતંત્ર વિરુદ્ધની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે તેમને બિનશરતી માફી માંગવાનો નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ એમઆર શાહ અને સીટી રવિકુમારની બેન્ચે કહ્યું કે લલિત મોદી કાયદા અને સંસ્થાથી ઉપર નથી અને લલિત દ્વારા દાખલ કરવામાં આવેલી કાઉન્ટર એફિડેવિટથી પણ તેઓ સંતુષ્ટ નથી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પૂર્વ આઈપીએલ કમિશનરને સોશિયલ મીડિયા અને અગ્રણી રાષ્ટ્રીય અખબારો દ્વારા માફી માંગવા નિર્દેશ આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે લલિતને માફી માગતા પહેલા એફિડેવિટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો, એમ કહીને કે ભવિષ્યમાં એવી કોઈ ટિપ્પણી (પોસ્ટ) કરવામાં આવશે નહીં જે ભારતીય ન્યાયતંત્રની છબીને કલંકિત કરે. જણાવી દઈએ કે લલિત મોદી હાલમાં લંડનમાં રહે છે. તેને 2010માં BCCIમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. IPL શરૂ કરવાનો શ્રેય માત્ર મોદીને જ જાય છે. પરંતુ અનેક આરોપો બાદ તેને હાંકી કાઢવામાં આવ્યો હતો.
SC slams former IPL commissioner Lalit Modi over remarks against judiciary in social media posthttps://t.co/xF935GbtPZ
— All India Radio News (@airnewsalerts) April 13, 2023