ભારત અને ઈંગ્લેન્ડની ટીમો ધર્મશાલામાં પાંચમી ટેસ્ટમાં સામસામે ટકરાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ ટેસ્ટ મેચ માટે મંગળવારે ધર્મશાલા પહોંચ્યો હતો. રોહિત શર્માની ધર્મશાલામાં ગ્રાન્ડ એન્ટ્રી થઈ હતી અને તે હેલિકોપ્ટર દ્વારા ધર્મશાલા પહોંચ્યો હતો.
રોહિત શર્મા હેલિકોપ્ટર દ્વારા હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પહોંચ્યો, જ્યાં HPCA અધિકારીઓ અને ઇવેન્ટ આયોજકોએ તેનું સ્વાગત કર્યું. ત્યારબાદ રોહિત શર્માએ બિલાસપુરમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ત્યાં તેના ચાહકો સાથે ક્રિકેટ પણ રમી હતી. રોહિત શર્માને સુરક્ષા અધિકારીઓ સાથે હેલિકોપ્ટરમાંથી કારમાં લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પર કબજો જમાવ્યો છે. ભારતીય ટીમ ધર્મશાલા ટેસ્ટ જીતીને શ્રેણી 4-1થી જીતવા ઈચ્છશે. ધર્મશાલાની પીચ ઝડપી અને ઉછાળવાળી માનવામાં આવે છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે અહીં સ્પિનરોનો દબદબો રહેશે. વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડવાની પણ શક્યતા છે. ચાહકો પણ ધર્મશાલામાં ભારતીય કેપ્ટન રોહિત શર્માના બેટથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમે ધર્મશાલાના એચપીસીએ સ્ટેડિયમમાં આજ સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે, 2017માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ભારતે આઠ વિકેટે જીત મેળવી હતી.
Rohit Sharma has reached Dharamshala in a private helicopter. pic.twitter.com/YYp3WxtDqV
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024