ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ ભારતના ટોચના ક્રિકેટરોએ બુધવારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. 2019 માં નિષ્ફળ ચંદ્રયાન-2 લેન્ડિંગમાંથી શીખીને, ISRO એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ કર્યું.
હવે ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ સાથે કરોડો ચાહકોને ભારતીય ક્રિકેટ તરફથી આશાનું કિરણ મળ્યું છે. હકીકતમાં, 2019 માં, ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા પછી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી અને ત્યારબાદ ભારતનું ચંદ્રયાન-2 મિશન પણ બે મહિના પછી ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા ક્રેશ થયું હતું. જો કે હવે આ વખતે ભારતીય વૈજ્ઞાનિકો ચંદ્ર પર ઉતરવામાં સફળ થયા છે ત્યારે ભારતીય ટીમ પાસેથી વર્લ્ડ કપ જીતવાની ચાહકોની આશા પણ વધી ગઈ છે.
2019 ODI વર્લ્ડ કપમાં, ભારતને ન્યુઝીલેન્ડના હાથે 18 રને હારનો સામનો કરવો પડ્યો અને 8 વર્ષ પછી ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આ વખતે વર્લ્ડકપ ભારતમાં જ રમાવાનો છે અને ભારતીય ટીમ ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા ઈચ્છે છે. 2011માં ભારતીય ટીમ ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બની હતી. જો કે ત્યાર બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ટાઈટલ જીતવા માટે ઝંખતી રહી છે.
ચંદ્રયાન-3 આ વખતે 23 ઓગસ્ટે સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે અને આગામી બે મહિના પછી ભારતીય ટીમ ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં ચાહકોને આશા છે કે જે રીતે ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે, તેવી જ રીતે ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું પણ પૂરું થશે.