પાકિસ્તાન સામેની વનડે શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, સ્ટીવ સ્મિથ તેની કોણીની ઈજાને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે બ્રેક લઈ રહ્યો છે જેથી તેની ઈજા વધુ આગળ ન વધે.
ટીમને તેનું સ્થાન મળ્યું છે. ટીમમાં ક્વીન્સલેન્ડના લેગ-સ્પિનર મિચેલ સ્વેપ્સનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આગામી ત્રણ મેચની ODI સિરીઝ અને એકમાત્ર T20I રમશે.
આ શ્રેણી લાહોરમાં રમાશે. જો કે અગાઉ આ શ્રેણીનો પ્રસ્તાવ રાવલપિંડીમાં રાખવામાં આવ્યો હતો પરંતુ બંને બોર્ડની સંમતિ બાદ તેને લાહોર ખસેડવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ તાજેતરની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી ઐતિહાસિક જીત નોંધાવી હતી. સ્ટીવ તેની ઈજાને લઈને કોઈ વધારાનું જોખમ લેવા માંગતો નથી તેથી તેણે ઓસ્ટ્રેલિયા પરત જવાનું નક્કી કર્યું છે.
આ અવસર પર સ્મિથે કહ્યું કે “પાકિસ્તાન સામે ODI સિરીઝ ન રમવી મારા માટે નિરાશાજનક છે પરંતુ મેડિકલ સ્ટાફ સાથે વાત કર્યા બાદ મને લાગે છે કે મારે આ સમયે બ્રેક લેવો જોઈએ” સ્મિથ ટેસ્ટમાં 8,000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન છે. તેણે લાહોર ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. સ્મિથે આ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 59 અને બીજી ઇનિંગમાં 17 રન બનાવ્યા હતા.
સ્ટીવ સ્મિથ પર ટિપ્પણી કરતાં પસંદગી સમિતિના વડા જ્યોર્જ બેઇલીએ કહ્યું, “18 મહિનાના વ્યસ્ત શેડ્યૂલ પછી, આવી બાબતોનું સંચાલન કરવું મહત્વપૂર્ણ હતું. તેણે કહ્યું કે અમે તેની જગ્યાએ કોઈ બેટ્સમેનને લીધો નથી. કારણ કે મને લાગે છે કે તેનો વિકલ્પ ટીમમાં છે.”
તેની ગેરહાજરીમાં ટીમના ખેલાડીઓને વધારાની તકો આપવી જોઈએ. અમે T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપને લઈને ઉત્સાહિત છીએ. પાકિસ્તાન જેવી ક્વોલિટી ટીમ સામેની આ ચાર મેચ ખેલાડીઓ માટે પોતાનો દાવો રજૂ કરવા માટે મહત્વપૂર્ણ છે.”
આગામી 3 મેચની ODI શ્રેણી અને પાકિસ્તાન સામેની એક T20I અનુક્રમે 29 માર્ચ, 31 માર્ચ, 2 એપ્રિલ અને 5 એપ્રિલના રોજ ગદ્દાફી સ્ટેડિયમ લાહોરમાં રમાશે.