ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ જેવી ખતરનાક ટીમને હરાવીને ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.ભારતીય ટીમે હવે 19મી નવેમ્બરે ટાઈટલ મેચ રમવાની છે. સેમિફાઇનલ મેચ દરમિયાન સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની ઈજાનો ખુલાસો થયો હતો, ત્યારબાદ તેણે બેટિંગ દરમિયાન મેદાન છોડવું પડ્યું હતું.
શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો, જોકે તે પછીથી મેદાનમાં પાછો ફર્યો હતો. સૌથી મોટો સવાલ એ હતો કે શું તે ફાઈનલ સુધી સંપૂર્ણ રીતે ફિટ થશે કે નહીં.
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ પોતાની ઈજાને લઈને મોટો ખુલાસો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં તેની ફિટનેસ વિશે વાત કરતાં તેણે કહ્યું, “તેની શરૂઆત મારા હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અને તાણથી થઈ હતી. ત્યાં ભેજયુક્ત વાતાવરણ હતું અને ડેન્ગ્યુની આફ્ટર ઇફેક્ટ્સ પણ હતી. હું ફાઈનલ માટે ઠીક રહીશ.”
ખેંચાણના કારણે તેની સદી ગુમાવવા પર, ગિલે કહ્યું કે જો મને ખેંચાણ ન હોત તો હું મારી સદી ફટકારી શક્યો હોત. પરંતુ તેમ છતાં, અમે ઇચ્છતા સ્કોર સુધી પહોંચી ગયા. અમે 400 રનની આસપાસ પહોંચવાની આશા રાખી રહ્યા હતા.
હું સદી ફટકારવામાં નિષ્ફળ ગયો તેનાથી મને કોઈ ફરક પડતો નથી. શુભમન ગિલે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તે ફાઈનલ મેચમાં પણ રમશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સતત 10 મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.રોહિતની આગેવાની હેઠળની ટીમ ટાઈટલની મોટી દાવેદાર છે.ટીમ ઈન્ડિયાનો મુકાબલો ખિતાબ માટે બીજી સેમીફાઈનલની વિજેતા ટીમ સાથે થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ.
pic- one india
