મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા કાળા હાથપટ્ટા (Indian cricketers with Black armbands) પહેરીને મેદાનમાં ઉતરી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી પદ્મકર શિવાલકરની યાદમાં અને તેમના સન્માનમાં કાળી પટ્ટી પહેરી હતી.
શિવાલકરનું સોમવારે વય સંબંધિત બીમારીને કારણે અવસાન થયું, તેમણે ૮૪ વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા.
BCCI એ X વિશે માહિતી આપી:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ‘X’ પર લખ્યું, ભારતીય ટીમ આજે સ્વર્ગસ્થ પદ્મકર શિવાલકરના માનમાં કાળી પટ્ટી બાંધીને રમી રહી છે. સ્વર્ગસ્થ શ્રી પદ્મકર શિવાલકરના માનમાં, ટીમ ઈન્ડિયા આજે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે.
In honour of the late Shri Padmakar Shivalkar, Team India is wearing black armbands today.
— BCCI (@BCCI) March 4, 2025
શિવાલકર એવા શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક હતા જેમને બિશન સિંહ બેદી જેવા મહાન ખેલાડીઓના યુગમાં રમતા હોવાથી ભારત માટે રમવાની તક મળી ન હતી. ડાબોડી સ્પિનર શિવાલકરે મુંબઈ માટે ૧૨૪ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૫૮૯ વિકેટ લીધી હતી. શિવાલકરને બીસીસીઆઈ દ્વારા પ્રતિષ્ઠિત સીકે નાયડુ ‘લાઇફટાઇમ એચિવમેન્ટ’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ મુંબઈના છે.